Covid-19 *સમાજ જોગ-મહત્વપૂર્ણ સંદેશ*
*સમાજ જોગ-મહત્વપૂર્ણ સંદેશ*
કોરોના વૈશ્વિક મહામારીના કારણે છેલ્લા ૧૫-૨૦ દિવસમાં સમાજે અનેક નાની ઉંમરના આશાસ્પદ યુવાનો તેમજ અનેક મોભીઓ/વડીલો ગુમાવ્યા છે ત્યારે આ સંદેશ દ્વારા તમામ સમાજને ધ્યાનમાં રાખી અને આપ સૌને જણાવવા માંગીએ છીએ *જેની ગંભીર નોંધ લેવા વિનંતી છે.,*
અત્યારે જ્યારે કોરોના મહામારીએ પુરા દેશ અને ગુજરાતમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે હોસ્પિટલો ફૂલ થઈ ગઈ છે, દર્દીઓને ઈલાજ સમયસર મળી નથી રહ્યો જેવા અનેક પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે ત્યારે આપણે સૌએ પાયાની સાવચેતી (જેવી કે માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ રાખવું વગેરે) શું રાખવી એનાથી આપ સૌ જાણકાર છો એમાં કોઈ શંકા નથી,
પરંતુ ક્યાંક ને ક્યાંક સમાજીક પ્રસંગોમાં ફરજના ભાગ રૂપે અથવા એકબીજા પ્રત્યેની ભાવનાઓના લીધે આપણે ક્યાંક ને ક્યાંક શરતચુક કરી રહ્યા છીએ, જેમકે સગા સંબંધીઓમાં લગ્ન પ્રસંગ હોય અથવા કોઈનું દુઃખદ અવસાન થયું હોય ત્યારે આપણે આપણી ભાવનાઓને ધ્યાનમાં રાખી તેમાં હાજરી આપવાનું જરૂરી સમજી અને હાજરી આપીએ છીએ અથવા હાજરી નહીં આપીએ તો સામે વાળા (સબંધીને) ને ખોટું લાગશે એ ડરના કારણે હાજરી આપીએ છીએ જેના કારણે આપણે એક પછી એક ઉગતા તારલાઓ, મોભીઓ અને વડીલો ગુમાવી રહ્યા છીએ.
એ વાત ૧૦૦૦% સમજી શકાય કે સ્વજનોના શુભ-અશુભ પ્રસંગોમાં આપણી ઉપસ્થિતી હોવી જોઈએ એ આપણી ભાવના/લાગણી અને ફરજ છે પણ અત્યારે આપણે આપણા સ્વજનો પ્રત્યેની લાગણીઓ અથવા ફરજ બતાવવા માટે એના પ્રસંગોમાં હાજરી આપીને નહીં પણ ન આપીને નિભાવવાની છે, કેમ કે અત્યારે દૂર રહીને જ આપણે એકબીજાને બચાવી શકીએ એવી પરિસ્થિતિ ઉભી થઇ છે જે આપ સૌ જાણો છો.
માટે દરેક પરિવારને બે હાથ જોડીને વિનંતી છે કે આ સમયગાળા દરમિયાન શક્ય હોય તો લગ્ન પ્રસંગો સ્થગિત રાખો, અથવા આયોજન હોઈ તો માત્ર બન્ને પરિવાર પૂરતું સીમિત રાખી અને પ્રસંગને સાચવો, ભગવાન કરે હવે સમાજે કોઈ યુવાનો કે વડીલો ન ગુમાવવા પડે પણ જો એ પરિસ્થિતિનો સામનો કરવો જ પડે તો ફરજિયાત (તમામ સગા સંબંધીઓ માટે) માત્ર ટેલિફોનિક પૂરતું સીમિત રાખો જેથી આપણે એક પછી એક સ્વજન ગુમાવવા ન પડે.
લાગણીઓ અને ભાવનાઓની માયાજાળમાં આપણે આપણા સ્વજનોને એક પછી એકને "ખો" આપી અને મુસીબતમાં મૂકી રહ્યા છીએ જે નગ્ન સત્ય છે.
આ મહામારી સામે લડી અને જીતશું અને અનેક શુભ પ્રસંગો આપણા પરિવાર, સમાજ, વડીલો અને યુવાનો સાથે મળીને ઉત્સવ રૂપે મનાવશું, સ્વજન પ્રત્યેની આપણી લાગણી ત્યારે વ્યક્ત કરી લેશું.
માટે હવે વિચારવાનું આપણે સૌએ છે, કે અત્યારે આપણી ફરજો સમજી એકબીજાને ત્યાં પ્રસંગોમાં હાજરી આપી અને સ્વજનો ગુમાંવી અને આવનારા સમયમાં શુભ પ્રસંગોમાં ગુમાવેલા સ્વજનોની ગેરહાજરી અનુભવવી છે? કે પછી અત્યારે બુદ્ધિપૂર્વક નિર્ણયો લઈ, મહામારી સામે લડી અને જીત મેળવી અને આવનારા સમયમાં આપણા યુવાનો અને મોભીઓ સાથે પ્રસંગોનો આનંદ માણવો છે?
*🙏 🙏🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻*
No comments